
સરહદી બનાસકાંઠા ના અંતરિયાળ ગામો માં પાણી ના કકરાટ વચ્ચે કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત રહ્યો છે તો બીજીબાજુ બનાસકાંઠા ના વાવ તાલુકા ના બરડવી સીમ માં થી પસાર થતી રાધાનેસડા ડિસ્ટ્રીબ્યુટર કેનાલ મા વહેલી સવારે ૬ વાગે અંદાજે ૪૦ ફૂટ કરતા વધારે નું ગાબડુ પડ્યું છે તો વળી તો બીજી બાજુ ગાબડું પડતા ની સાથે ખેડૂત નું ખેતર બેટ માં ફેરવાયું છે જેમાં ડુંગળી ,તેમજ એરંડા માં પાણી ભરાઈ જતા ખેડૂતો ને રોતા પાણી એ કરી નાખ્યા છે આ ધટના ની જાણ કરાતા અમારી મીડિયા ટીમ ના પ્રતિનિધિ થતા ની સાથે ધટના સ્થળે પહોચ્યા હતા .જયા મીડિયા સાથે વાતચીત માં ખેડૂત લાધાભાઇ હેમરાજભાઈ પટેલ દ્વારા જણાવામાં આવ્યું કે મારે લાખો નું નુકશાન થયું છે જે બદલ નર્મદા નિગમ આ નુકશાન વળતર આપે તેવી માંગ કરી હતી ..