આપ ના નેતાઓ દ્વારા ખેડુત સન્માન રેલીનું નડેશ્વરી ધામ નડાબેટ શરૂઆત કરવામાં આવી

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : સુઈગામ

બનાસકાંઠા નુ સરહદી છેવાડા નુ  સુઇગામ  તાલુકા ના નડાબેટ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા નડેશ્વરી માતાજી ના મંદીર માં દર્શન કરી તા – ૧૦/૦૯/૨૦૨૧ આજ રોજ ખેડુત સન્માન રેલી ખેડૂતોના હિત માટે માતાજી નડેશ્વરી ના આશીર્વાદ લઇ નડાબેટ થી સુઈગામ થી વાવ,થરાદ,લાખણી ડીસા પાલનપુર દાતા અને અંબાજી અને સમગ્ર ગુજરાત માં  કિશાન સન્માન રેલી યોજવામાં આવશે . જેમાં તાલુકા ક્ક્ષા એ ખેડૂતો ના વિવિધ મુદ્દે આવેદન પણ પાઠવવામાં આવશે . જેમાં  આપના નેતા ભેમાભાઈ ચૌધરી, આપના ખેડૂત નેતા સાગરભાઇ રબારી બનાસકાંઠા જિલ્લા પ્રમુખ રમેશભાઈ પટેલ બનાસકાંઠા પ્રદેશ પ્રમુખ રમેશભાઈ નાભાણી સુઈગામ પ્રમુખ ભરતભાઇ ચૌધરી ભાભર શહેર પ્રમુખ કિર્તીભાઈ માળી અને ભાભર તાલુકા પ્રમુખ છગનજી ઠાકોર દ્વારા ખેડુત સન્માન રેલીનું નડેશ્વરી ધામ થી નડાબેટ થી શરૂઆત કરવામાં આવી છે ખેડૂતો માટે ખેડૂતો નાહકનું સરકાર પાસે માગણી કરવા માટે આ રેલીનું આયોજન છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *