યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : બનાસકાંઠા
બનાસકાંઠા ના પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરૂણકુમાર દુગ્ગલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લા તથા આજુબાજુના જિલ્લાઓમાં બનતા ઘરફોડ ચોરીના તેમાંય ખાસ કરી મંદીર ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે સુચના કરેલ ગઇ તા.૧૧/૦૭/૨૦૨૧ ના રાત્રીના સમયે સુઇગામ ખાતે આવેલ પૌરાણિક તથા હીન્દુ ધર્મના આસ્થા સમાન પવિત્ર રાજેશ્વર મહાદેવના મંદીરમાંથી ચાંદીના છતર વિગેરેની ચોરી થયેલ અને આ ચોરીમાં ચોરી કરનાર ઇસમો દ્વારા મહાદેવના મંદીરમાં આવેલ શીવલીંગ તથા આજુબાજુની જગ્યાને નુકશાન કરેલ હોય જેના કારણે સરહદી વિસ્તારમાં ઉપરોકત મંદીર ચોરીના બનાવ અંગે ઘેરા પ્રત્યાઘાત પડેલ હતા.જે બનાવની ગંભીરતા ધ્યાને લઇ બનાસકાંઠા પોલીસ અધિક્ષકશ્રી તરુણકુમાર દુગ્ગલ એ જાતે બનાવની જગ્યાની વિઝીટ કરી આ ચકચારી મંદીર ચોરીનો બનાવ શોધી કાઢવા માટે અલગ અલગ ટીમોનુ ગઠન કરેલ અને ઉપરોકત બનાવ સબંધે ગઠીત થયેલ ટીમોના ઇન્ચા.શ્રી એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી.,પાલનપુરને ખાનગી રાહે હકકીત મળેલ કે, ઉપરોકત ગુનામાં તથા બનાસકાંઠા જિલ્લા તથા આજુબાજુના જિલ્લાઓમાં મંદીર ચોરીના ગુનાઓમાં અંબાજીની નટ ગેંગ સંડોવાયેલ છે.ટીમ ઇન્ચા.શ્રીને મળેલ લીડના આધારે શ્રી જે.બી.આચાર્ય પોલીસ ઇન્સ્પેકટર, અંબાજી તથા તેમની ટીમ દ્વારા આરોપી મણકાભાઇ પુનાભાઇ સોલંકી (અનુ.જનજાતિ) રહે. જંબરા તા.દાંતાવાળાને અત્રેની કચેરી લાવી પુછપરછ કરતા તેઓએ તથા તેમની સાથેના બીજા સાતેક માણસો મળી આ મંદીર ચોરીનો ગુનો કરેલ હોવાની કબુલાત કરેલ છે