દિયોદરના સમાજ સેવક નારણ રાવળ ને વૃક્ષારોપણ ક્ષેત્રે પ્રશસ્તિપત્ર એનાયત

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :દિયોદર (લાલભાઈ દરજી)

દિયોદર તાલુકાના દિયોદરના રહીશ રાવળ નારણભાઇ કે. વી.એસ.એસ.એમ સંસ્થાના બનાસકાંઠા જિલ્લા  સંયોજક તરીકે છેલ્લા 12 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. છેલ્લા 4વર્ષથી સંસ્થા,સરકાર અને લોકભાગીદારી થકી જિલ્લામાં 45000 થી વધારે વૃક્ષોનો ઉછેર કરાવ્યો છે આ વર્ષે પણ તેઓ 32 ગામોમાં 1.50 લાખ વૃક્ષોનું વાવેતર કરી એનું 3 વર્ષ સુધી જતન કરવાનું કાર્ય આરંભ્યું છે. જળ સંચય દ્વારા ભૂગર્ભ જળ ઊંચું આવે તે માટે ગામે ગામ તળાવો ઊંડા કરવાની કામગીરીને સૌ જિલ્લાના લોકોએ આવકારી અને સંસ્થાના માધ્યમથી 116 તળાવો ઊંડા કર્યા છે. વિચરતી વિમુક્ત સમુદાયના લોકોનો શૈક્ષણિક, આરોગ્ય,રોજગાર મળે તે માટે સતત કામગીરી અને 2017 નું પુર હોય કે કોરોના મહામારીમાં સતત ખડા પગે રહીને એમને લોકોની સેવા કરી છે.જિલ્લામાં વૃક્ષરોપણની કામગીરીને બિરદાવીને આજે 72માં વન મહોત્સવમાં પ્રસંગે માન મંત્રીશ્રી વાસણભાઇ આહીર ના હસ્તે પ્રસંશનીય કામગીરી માટે પ્રશસ્તિપત્ર પત્ર આપી સન્માનિત કરાયા હતા….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *