બનાસકાંઠા નુ સરહદી વિસ્તાર નુ સુઇગામ તાલુકા નુ ડાભીગામે આજ રોજ બનાસ ડેરી અને ડાભીગામ ની દુધ ઉત્પાદન મંડળી સંરપચ ના સંયોજક થી બનાસ ડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરી ના હસ્તે સુઇગામ તાલુકા ના ડાભી ગામે સ્મશાનભૂમિ ખાતે 400 વ્રુક્ષો નું વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખૂબ જ સંખ્યા માં ડાભી ગામ ના યુવાનમિત્રો વડીલો માતાઓ અને બહેનો હાજર રહ્યા હતા સુઇગામ તાલુકા ના તેમજ જિલ્લા ના ડેલીકેટ શ્રી દેવજીભાઈ પટેલ. તેમજ તાલુકા ડેલીકેટ શ્રી જામાભાઈ ચૌધરી હાજર રહ્યા, તેમજ બનાસ ડેરી ના સુઇગામ તાલુકા ના ડીરેક્ટર શ્રી મૂળજીભાઈ ચૌધરી, સુઈગામ તાલુકાના ડેરી વિસ્તરણ અધિકારી શ્રી રમેશભાઈ ચૌધરી તેમજ સુપરવાઇઝર શ્રી મેઘરાજભાઈ ચૌધરી પરેશભાઇ મેધરાભાઇ અને ભાજપ ના સુઈગામ દાનાભાઇ ચાવડા( દુદોસણ) રામસિગભાઇ પિરાભાઇ ગામોટ સરતણભાઇ દેસાઇ બોરુ માવજીભાઇ ડુગળા સંરપચ દાનસિગભાઇ સુરેશભાઇ તલાટી મંત્રી ચેરમેન તાલુકાના તમામ પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમ કરવામાં આવ્યો હતો…વધુમાં શંકરભાઈ ચૌધરી એ ડાભીગામ માં પધારેલ સૌ આગેવનો અને ગ્રામજનોને વૃક્ષારોપણ વિશે વિશેષ માહીતી આપી વ્રુક્ષારોપણ કાર્યક્રમ માં આયોજક યુવાનમિત્રો અને વડીલો નો શ્રી શંકરભાઈ ચૌધરી એ આભાર વ્યકત કર્યો….