યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :બનાસકાંઠા (ધ્રુપલ જયસ્વાલ )
બનાસકાંઠા ના થરાદ ના દુધવા ખાતે મહાવ્રુક્ષા રોપણ કરવામાં આવ્યુ હતું જેમાં બનાસડેરી માંથી પધારેલ સૌ કોઈ મહેમાનો નું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં બનાસડેરી અને દૂધ મંડળી ઓ ના સહયોગ થી શિવ મંદિર માં સાનિધ્ય માં આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બનાસડેરી માંથી આવેલ મહેમાનો અને દૂધ મંડળી ઓ ના મંત્રી તેજાભાઇ, હેમજીભાઈ, અને ડેરી ના ચેરમેન રૂડાંભાઇ અને મહેશભાઈ,અગજીભાઈ,જગદીશભાઈ સહિત યુવાનો તેમજ ગામના સરપંચ અને રાષ્ટ્રીય માનવાધિકાર અને ક્રાઇમ કન્ટ્રોલ બ્યુરો થરાદ બ્લોક મીડિયા ઓફિસર ભરતભાઈ સહિત ગામના યુવાનો ખૂબ જ ઉત્સાહ ભેર આ કાર્યક્રમ માં જોડાયા હતા. જેમાં ગામના શિવ મંદિર સાનિધ્ય માં લગભગ 200 જેટલા વૃક્ષો નો રોપણ કરવામાં આવ્યું હતું