સરહદી બનાસકાંઠા ના વાવ તાલુકા બહુજન સમાજ પાર્ટી ના પ્રમુખ ની વરણી કરવામાં આવી છે જેમાં વાવ તાલુકા ના સવપુરા ગામ ના યુવાન અને ઉત્સાહી એવા દિનેશભાઈ આશલ ની વાવ વિધાન સભા ના પ્રમુખ પદે નિમણુક કરાઈ છે તેમની નિમણુક થી તેમના ચાહકો માં ખુશી નો માહોલ છવાયો છે જાણવા મળતી માહિતી અનુસાર દિનેશભાઇ આશલ અનું.જાતી રત્નકલાકાર યુનિયનના સહ સંસ્થાપક, રખોપું ફાઉન્ડેશનના મંત્રી તેમજ ઇડર પ્રક્રૃતિ સંશોધન કેન્દ્રના સંચાલક છે. તેઓ રખોપું ફાઉન્ડેશન તેમજ ઇડર પ્રક્રૃતિ સંશોધન કેન્દ્ર થકી પ્રક્રૃતિ બચાવના કાર્યો કરે છે. દિનેશભાઇ આશલે જણાવ્યું હતું કે હવે ટુંક સમયમાં વાવ વિધાનસભાની બહુજન સમાજ પાર્ટીની યુવા અને ઉત્સાહી ટીમની રચના કરવામાં આવશે. અને આવનારી ૨૦૨૨ ની વિધાનસભાની ચુંટણીમાં બહુજન સમાજ પાર્ટી સારો એવો દેખાવ કરશે એની હું બાંહેધરી આપી હતી .