
યે હૈ ન્યૂઝ ઇન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )
સરહદી બનાસકાંઠા જીલ્લા ના વાવ તાલુકા પંચાયત માં સત્તા પક્ષ એટલે કેભારતીય જનતા પાર્ટી ના શાસક પક્ષ ના હોદ્દેદારો એ પોતાની પાર્ટી ના તાલુકા પંચાયત ની બોડી ના ન્યાય સમિતિ ના ચેરમેન વિરુદ્ધ અવિશ્વાસ ની દરખાસ્ત કરવામાં આવી છે જેમાં સામાજિક ન્યાય સમિતિ ના પાંચ સભ્યો નો સમાવેશ થાય છે જેમાં ૪ સભ્યો એ અવિશ્વાસ ની દરખાસ્ત અંદાજે ૧ માસ અગાઉ અરજ કરી હતી ત્યારબાદ તા -૩૦/૦૭/૨૦૨૧ ના રોજ બેઠક યોજાઈ હતી જેમાંથી ૪ માંથી ૩ સભ્યો હાજર રહેતા પંચાયત ધારા ની જોગવાઈ મુજબ સાદી બહુમતી થી ચેરમેન જુમાંબેન દાનાભાઈ પરમાર વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત મંજુર કરવામાં આવી છે જેમાં કાર્યકરી અધ્યક્ષ તરીકે રગનાથ ભાઈ પારેંગી માડકા વરણી કરવામાં આવી છે
હાજર રહેલ સામાજિક ન્યાય સમિતિ ના ૩ સભ્યો
- રગનાથ ભાઈ પારેંગી માડકા
- ધનીબેન રૂપશીભાઈ પારેંગી તડાવ
- દલીબેન જગશીભાઇ ચૌહાણ જોરડીયાળી