વાવ ના ખીમાણાવાસ લખાપીર દાદા ના પ્રાગણ જનસંવેદના કાર્યક્રમ થકી ભાજપ અને કોંગ્રેસ ના કાર્યકરો જોડાયા આમ આદમી પાર્ટી માં ….

  • જનસંવેદના કાર્યક્રમ થકી ભાજપ અને કોંગ્રેસ ના કાર્યકરો જોડાયા આમ આદમી પાર્ટી માં ….
  • અંદાજે ૩૦૦ કાર્યકરો જોડાયા ..
  • કોંગ્રેસ અને ભાજપ ના નેતા ઓ અને કાર્યકરો એ વિધિવત આમ આદમી પાર્ટી નો કેશ પહેર્યો

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )

સરહદી બનાસકાંઠા ના વાવ તાલુકા ખીમાણાવાસ ના લખાપીર દાદા ના પ્રાગણ જનસંવેદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો . જેમાં કોરોના મહામારી માં મૃત્યુ પામેલાના સ્વજનો ની મુલાકાત કરવામાં આવી હતી.જેમાં વાવ તાલુકા આમ આદમી પાર્ટી ના પ્રમુખ ભુરાજી રાજપૂત ની રાહબરી હેઠળ કોંગ્રેસ અને ભાજપ ના નેતા ઓ અને કાર્યકરો એ વિધિવત આમ આદમી પાર્ટી નો કેશ પહેર્યો હતો .

જાણવા મળતી માહિતી અનુસાર અંદાજે ૩૦૦ થી વધુ કાર્યકરો જોડાયા આમ આદમી પાર્ટી માં જેમાં વાસરડા,ભાણખોડ ,લીબાળા ,તેમજ ખીમાંણાવાસ તેમજ અન્ય ગામડા ઓ ના કાર્યકરો જોડાયા છે .કાર્યક્રમ ના મુખ્ય મહેમાન  ઈશુદાનભાઈ ગઢવી ,પ્રદેશ નેતા વિજય ભાઈ સુવાળા પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમજીભાઈ ચૌધરી પ્રદેશ નેતા સંગઠન મંત્રી રમેશ નાભાણી સહીત ના નેતા ઓ એ હાજરી આપી હતી  વધુમાં  વાવ તાલુકા આમ આદમી પાર્ટી ના પ્રમુખ ભુરાભાઈ રાજપૂત દ્વારા જણાવવા માં આવ્યું કે આવનાર સમય માં હજારો લોકો આમ આદમી પાર્ટી માં જોડાશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *