સરહદી સુઇગામ ખાતે મહિલા ITI માં કાર્યરત કરાયેલ કોરોના કેર સેન્ટરમાં કોરોના ના લક્ષણો ધરાવતા દાખલ કરાયેલ, જ્યાં સુઇગામ CHC ની આરોગ્ય ટીમે રાત દિવસ તેમની યોગ્ય ટ્રીટમેન્ટ કરતાં આજે 4 દર્દીઓ સ્વસ્થ થઈ જતા કોરોનાને મ્હાત આપતાં બુધવારે તેમને ઘરે જવા ની રજા આપવામાં આવતા તેમના પરિવારજનોએ સુઇગામ આરોગ્ય સ્ટાફ સાથે THO ડો,જનકસિંહ બોડાણા,ના,મામલતદાર પ્રવીણદાન ગઢવી આરોગ્ય ટીમ,વહીવટી તંત્ર અને સેવાભાવી વડીલો સહિત તમામનો આભાર માન્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં 16 કોરોના દર્દીઓએ કોરોનાને હરાવી તેમના ઘરે પરત ફરી ચુક્યા છે