યે હૈ ન્યુઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )
બનાસકાંઠા ના ગ્રામ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઇ લોકો જાગૃત થાય છે અને એક બાદ એક ગામો અને નગરો પ્રશાસનના નિર્ણયની રાહ જોયા વગર લોકડાઉન તરફ વળી રહ્યા છે. ત્યારે વાવ તાલુકા ના વાવ શહેર માં પણ ૨૧ થી ૨૫ તારીખ સુધી ગ્રામજનોએ લોક ડાઉન નો સ્વૈચ્છીક નિર્ણય કર્યો છે. અંદાજે ૧૫ હજાર ની વસ્તી ધરાવતા વાવ ગામમાં સ્વેચ્છિક લોક ડાઉનને લઇ આખા ગામમાં કફર્યુ જેવી સ્થિતિ જોવા મળી હતી. આખા ગામમાં એક માત્ર મેડીકલ સ્ટોર અને દવાખાનું ખુલ્લું જોવા મળ્યું હતું. વાવ તાલુકો વડું મથક હોવાથી આજુબાજુના ધણા એવા ગામોના લોકો અહીં ખરીદી કરવા આવતા હોઈ છે પરંતુ સ્વૈચ્છીક લોક ડાઉનના નિર્ણયને લઈ આજુબાજુના ગામના લોકોએ પણ આ નિર્ણયને આવકાર્યો હતો અને પોતાના ઘરે રહી લોક ડાઉનને સફળ બનાવ્યું હતું જેમાં વાવ તાલુકામાં મુખ્ય મથક વાવ શહેર માં લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે. આવશ્યક ચીજવસ્તુની દુકાનો સિવાય અહીં તમામ દુકાનો બંધ રહી હતી. લોકોએ પણ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે જવાબદાર તંત્ર અને ગ્રામ્ય વિસ્તાર ના લોકો આ નિર્ણયને આવકારી રહ્યા છે અને સહકાર આપી રહ્યા છે.