સપ્રેડા ગામે મનરેગા યોજના હેઠળ ગેરરીતી મુદ્દે થરાદ પ્રાંત કચેરી ખાતે આવેદન પાઠવાયું .

જે બાબતે સપ્રેડા ગામ ના અરજદાર દલરામ ભાઈ મણવરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સપ્રેડા ગામના સરપંચ પતિ રાજકીય વગ ધરાવતા હોઈ ગેરરીતી ઓ ના મુદ્દે તપાસ થતી નથી જેથી કરીને ન્યાય ની માંગ માટે અમો અરજદારો ને ભૂખ હડતાલ પર ઉતરવાની ફરજ બની છે તેમ છતાં અમોને યોગ્ય ન્યાય નહિ મળે તો અમો હાઇકોર્ટ ના દ્વારા ખખડાવી યોગ્ય ન્યાય મેળવી ને જંપીશું

યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ

સરહદી બનાસકાંઠા ના વાવ તાલુકા ના સપ્રેડા ગામે જાગૃત યુવાને અગાઉ મનરેગા યોજના હેઠળ ગેરરીતે મુદ્દે વાવ તાલુકા પંચાયત ખાતે ધરણા પ્રદશણ કરવામાં આવ્યું હતું . ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી એ તપાસ નો આદેશ આપ્યા હતા .જેની તપાસ ભાભર ના ઇન્ચાર્જ TDO રમેશ પુરણીયા ને સોપવામાં આવી હતી અને સ્થળ ચકાસણી પણ કરવામાં આવી હતી.ત્યારબાદ સપ્રેડા ના જાગૃત યુવાનો દ્વારા તાલુકા મનરેગા શાખા માં વારંવાર તપાસ નો રીપોર્ટ માંગવામાં આવ્યો હતો .પરંતુ મનરેગા શાખા માં અધીકારીઓ જવાબ આપવાનું પણ ટાળી રહ્યા છે જે અંગે તા .૦૬/૦૨/૨૦૨૦૧ ના  રોજ રોષે ભરાયેલા અરજદારો દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદન પાઠવવામાં આવ્યું હતું અને જે સંદભે મણવર દલરામભાઈ એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમો એ સપ્રેડા ગામે મનરેગા માં ગેરરીતી ઓ ના મુદ્દે લેખિત રજુઆતો કરવા છતાં અમને આજ દિન સુધી યોગ્ય ન્યાય ના મળતા અમારે ના છુટકે આપની કચેરી ખાતે ધરણા કરવાની ફરજ પડી  છે અંતે થરાદ પ્રાંત અધિકારી શ્રી ને રજૂઆત કરી પોતાની કચેરી એ ધરણા કરવાની મંજુરી પણ માંગવામાં આવી ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *