યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ
બનાસકાંઠા ના વાવડી –માલસણ કેનાલ માંથી એક યુવક નો મૃત્યદેહ મળી આવ્યો હતો .જે અંગે ની પ્રાથમિક માહિતી અનુસાર સૌ પ્રથમ યુવક ના શવ કેનાલ પર રહેલ ગેટ મેને એ જોયો હતો ત્યાર બાદ ખાનપુર ના નાગજીભાઈ કેશરાભાઈ ને ટેલીફોનીક વાત ચિત કરી હતી અને નાગજીભાઈ દ્વારા વાવ પોલીશ ને જાણ કરવામાં આવી હતી ત્યાર બાદ પોલીસ સ્થળ પર પહોચી મુત્ય દેહ ને pm અર્થે વાવ રેફરેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો .ત્યારબાદ જાણકારી મળતા તેના પરિવાર જનો નો સંપર્ક કરતા જાણવા મળ્યું કે યુવક ટડાવ રહેવાસી હતો અને છેલ્લા ૪ દિવસ અગાઉ ગુમ થયો હતો .અને તેના પરિવાર જનો તેની શોધ ખોળ કરવામાં આવી હતી જે અંગે યુવક ના પરિવાર જનોએ અગાઉ થરાદ પોલીસ સ્ટેશન ખાતે ગુમ થયેલ હોવાની જાણ કરવામાં આવી હતી .જે અંગે આજ રોજ તેનો મુત્ય દેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી .ત્યારબાદ પોલીસ ની પ્રાથમિક તપાસ માં યુવક ના કિસ્સા માંથી સિલ્વર અને ખાલીમાચીસ ,અને એક ધડીયાળ મળી હતી ત્યારબાદ વાવ પોલીસે અકસ્માત નો ગુન્હો નોધી તપાસ હાથ ધરવામાં આવી હતી .યુવક ના પરિવાર જનો એ અમારી મીડિયા ટીમ ના પ્રતિનિધિ ને જણાવ્યું હતું કે કોઈ અગમ્ય કારણ હોઈ આ કેશ ની પોલીસ તપાસ આરંભે અને કોઈ તર્ક વિતર્ક જોવા મળે છે જેની યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે તેમ જણાવ્યું હતું.