ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનની આકરી ટીકા કરતા કહ્યું છે કે, ભારતે સરહદ પાર પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદી હુમલાઓનો દાયકાઓથી અનુભવ કર્યો છે. સશસ્ત્ર સંઘર્ષો દરમિયાન નાગરિકોના રક્ષણ અંગેની ખુલ્લી ચર્ચા દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત પી. હરીશે આ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાને આતંકવાદના પોષવા

વારંવાર નાગરિક કવરનો ઉપયોગ કર્યો છે. શ્રી હરીશે કહ્યું કે તાજેતરમાં જ દુનિયાએ ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલા કુખ્યાત આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં વરિષ્ઠ સરકારી, પોલીસ અને લશ્કરી અધિકારીઓને શ્રદ્ધાંજલિ આપતા જોયા છે