ડીસા પંથક માં લંપી વાયરસ નો સંક્રમણ વધ્યું, ૪૦ ગાયો ના મોત થયા , સારવાર કરવાની માંગ કરાઈ

ડીસા પંથક માં પશુઓમાં લંપી વાયરસ નું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે હવે તો બજારમાં રખડતા પશુઓમાં પણ લંપી વાયરલ વકરી રહ્યો છે. જેમાં ડીસા શહેરના મધ્યમાં આવેલ રાજીવ ગાંધી કોમ્પ્લેક્સ માં એક લંપી વાયરસ સંક્રમિત ગાય નું મોત થયું હતું. ગાયનું મોત થતા જ સ્થાનિક વેપારીઓએ જાણ કરતા જીવદયા પ્રેમીઓ તરત જ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને લંપી ગ્રસ્ત ગાય ને લઈ જઇ દફનાવી હતી. બજારમાં રખડતા પશુઓમાં પણ વાયરસ ફેલાતા વેપારીઓમાં અને લોકોમાં પણ ભય ફેલાયો છે. એક તરફ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે બીજી તરફ લંપી વાયરસના સંક્રમણ ના કારણે રોગચાળો વકરવાની પૂરેપૂરી શક્યતા છે જેથી બજારમાં રખડતા પશુઓમાં પણ ઝડપી રસીકરણ થાય અને લંપી વાયરસ અસરગ્રસ્ત ગાયોની તાત્કાલિક સારવાર કરવામાં આવે તેવી વેપારીઓની માંગ છે. જિલ્લા પશુપાલન વિભાગ ના આંકડા મુજબ ડીસામાં અત્યાર સુધી 40 જેટલા પશુઓના લંપી વાયરસ ના કારણે મોત થયા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *