વાવ ના વાસરડા ગામે RCC રોડ બનાવવા ની અનેક રજુઆતો ,તંત્ર નિદ્રાધીન સ્થતિમા,ગંદગી ને લઈને રોગચાળો ફેલાય તેવી પરિસ્થિતિ

બનાસકાંઠા ના વાવ તાલુકા ના વાસરડા ગામે પ્લોટ વિસ્તાર માં જતા રોડ ને નવીન રોડ બનાવવા ની અગાઉ અનેકવાર  ગામ ના લોકો દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી છે.પરંતુ આજ દિન સુધી આ રોડ ને લઈને નિરાકરણ લાવવામાં ના આવતા વાસરડા ના ગામ ના સામાજિક કાર્યકર્તા મનોજ પરમાર દ્વારા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે હાલ માં આ જાહેર રસ્તા પર ઉકરડા ,તેમજ ગંદગી નું પ્રમાણ હોવાના લીધે અહી થી પસાર થવું પણ મુસ્કલે બન્યું છે ત્યારે વધુ માં જણાવતા કહ્યું હતું કે આ નિદ્રાધીન તંત્ર ને અનેક રજૂઆત કરવા છતા આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.ગંદગી ના પ્રમાણ ને જોતા ગામ માં રોગ ચાળો ફેલાય તેવી ભીતિ સેવાઈ રહી છે ત્યારે જવાબદાર તંત્ર સત્વરે પગલા લઇ રોડ તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે તેવી માંગ કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *