ગુજરાતન પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા નવી પાર્ટી સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે, પોતાની અલગથી પાર્ટી બનાવવાની જાહેરાત કરશે

શંકરસિંહ વાઘેલા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી’ લઈને આવી રહ્યા છે. ગુજરાતના રાજકારણમાં ફરીથી નવો વળાંક આવશે. રાજકારણમાં સૌથી વધુ અનુભવી અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વિધાનસભા ચૂંટણી પહેલા પોતાની અલગ પાર્ટી બનાવી રહ્યા છે. વિધાનસભા ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી’ લઈને આવશે. થોડા જ દિવસોમાં શંકરસિંહ વાઘેલા પોતાની અલગથી પાર્ટી બનાવવાની જાહેરાત કરશે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હવે પોતાની નવી પાર્ટી બનાવવા જઈ રહ્યા છે.

આગામી વિધાનસભામાં શંકરસિંહ વાઘેલા પોતાની નવી પાર્ટી સાથે ચૂંટણી લડવા માટે મેદાને ઉતરશે. અગાઉ 2017માં પણ શંકરસિંહ વાઘેલાએ ‘જન વિકલ્પ’ના નામે પાર્ટી ઉભી કરી હતી. હવે એકવાર ફરી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી લઈને શંકરસિંહ વાઘેલા મેદાનમાં આવશે. શંકરસિંહે 3 સપ્તાહ અગાઉ પોતાના સમર્થકો સાથે પોતાના નિવાસ્થાને મહત્વની બેઠક કરી હતી. આ બેઠકમાં શંકરસિંહે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કેવા પ્રકારની કામગીરી કરવી તે અંગે ચર્ચા કરી હતી. આ બેઠક દરમિયાન કોંગ્રેસમાં જોડાવા અંગે તેમજ ગુજરાતમાં લઠ્ઠાકાંડ અંગે તેઓએ મહત્વનું નિવેદન આપ્યું હતું.

શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોડાવા અંગે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘હાલ મારી કોંગ્રેસના મિત્રો સાથે વાત ચાલી રહી છે.’ એટલે કે, એ સમયે શંકરસિંહે કોંગ્રેસમાં જોડાવવાના સંકેત આપ્યા હતા. શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જવાના એંધાણ આપ્યા હતા, પરંતુ તેઓએ જો ગુજરાત કોંગ્રેસ દારૂબંધી હટાવવાનું વચન આપે તો તેઓ કોંગ્રેસમાં જોડાશે તેવી તેમણે શરત મૂકી હતી. હવે જોવું એ રહ્યું કે શંકરસિંહ વાઘેલા આગામી ચૂંટણીમાં પોતાની નવી પાર્ટી સાથે ચૂંટણી લડશે કે કોઈ પાર્ટી સાથે ગઠબંધન કરશે તે જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *