બનાસકાંઠાના લાખણીના શેરગઢમાં વીજળી પડતા ત્રણ ભેંસોના મોત,પશુપાલકે સરકાર પાસે વળતર ની માંગ કરી

લાખણીના શેરગઢમાં વીજળી પડતા ત્રણ ભેંસોના મોત ઝાડ નીચે વાડામાં બાંધેલી ત્રણ ભેંસોના નીપજ્યા મોત અજમલજી ઠાકોરના ખેતરમાં બાંધેલી ત્રણ ભેંસોના મોત નીપજતા પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ લાખણી તાલુકાના શેરગઢ ગામમાં એક પશુપાલક અજમલજી ઠાકોર ના ખેતરમાં બાંધેલ પશુ ઉપર અવકાશી વીજળી પડતાં ત્રણેય પશુઓના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે જેમાં રાત્રિના પશુઓ વાડા બાંધેલા હતા સવારના આઠ વાગ્યાંના સમયે અવકાશી વીજળી પડતાં ત્રણ પશુના મોત ના કારણે પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતી સર્જાઈ છે બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલથી કેટલાક વિસ્તારોમાં ઝરમર ઝરમર તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થતો જોવા મળી રહ્યો છે જેમાં વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી છે પરંતુ કેટલાક ખેડૂતોને વરસાદના કારણે નુકસાન પહોંચતું જોવા મળી રહ્યું છે જેમાં આજે વહેલી સવારે લાખણી તાલુકામાં 16 મિમિ જેટલો વરસાદ ખાબક્યો હતો પરંતુ લાખણી તાલુકાના શેરગઢ ના પશુપાલક અજમલજી ઠાકોર ના વાડામાં બાંધેલી પશુ ઉપર વહેલી સવારે અંદાજે આઠ વાગે અચાનક અવકાશમાંથી વીજળી પડતાં બે બે અને એક શંકર ગાય ની વાછડી ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા પશુઓ ને મૃત હાલતમાં જોઈ પરિવાર પર આભ ફાટી પડ્યું હતું જોકે પરિવારે સરકાર પાસે સહાય ની આસ કરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *