રાકેશ ટિકેત
હાલ ખેડૂત આંદોલનને માત્ર પંજાબ અને હરિયાણા સુધી જ સીમિત આંદોલન ગણાવવામાં આવે છે. પરંતુ આ ધારણાને રાકેશ ટિકેતે ખતમ કરી દીધી છે. તેઓ ઉત્તર પ્રદેશથી સેંકડો ખેડૂતોનો સાથ લઈને આ આંદોલનમાં સામેલ થયા છે. રાકેશ ટિકેત એક જમાનમાં ખેડૂતોના સૌથી મોટા નેતા રહેલા મહેન્દ્રસિંહ ટિકેતના પુત્ર અને ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા છે. આજે તેઓ આ આંદોલનના મોટા નામોમાંથી એક છે. માનવામાં આવે છે કે સરકાર સાથે વાતચીત અને સમાધાનનો રસ્તો શોધવાના પ્રયાસમાં ખેડૂત તરફથી ટિકેત જ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
ગુરનામસિંહ ચઢૂની
હરિયાણામાં ખેડૂત આંદોલનને મજબૂતીથી ઊભું કરવાની પાછળ જે સૌથી મોટું નામ છે તે ગુરનામસિંહ ચઢૂનીનું છે. 60 વર્ષના ગુરનામ કુરુક્ષેત્રના ચઢૂની ગામના રહેવાસી છે અને ભારતીય કિસાન યુનિયન હરિયાણાના અધ્યક્ષ છે. છેલ્લાં બે દશકાથી ખેડૂતોના મુદ્દે સતત સક્રિય રહેતા ચઢૂની જીટી રોડ ક્ષેત્ર(કુરુક્ષેત્ર, કૈથલ, યમુના નગર, અંબાલા)માં ચર્ચામાં રહ્યાં છે. જો કે 10 સપ્ટેમ્બરે પીપલીમાં થયેલા ખેડૂતો પર લાઠીચાર્જ પછી તેમનો ઉલ્લેખ ઘણો જ થઈ રહ્યો છે. આ ઘટનાના વિરોધમાં તમામ પ્રદેશમાં આંદોલન ઊભું કરવાની મુખ્ય ભૂમિકા ચઢૂનીએ જ ભજવી છે.
ચઢૂની રાજકારણમાં હાથ અજમાવી ચુક્યા છે. તેઓ ગત વર્ષે અપક્ષ ઉમેદવાર હરિયાણા વિધાનસભાની ચૂંટણી લડી ચુક્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં તેમની પત્ની બલવિંદર કૌર પણ આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી ચુક્યા છે.
ડૉકટર દર્શન પાલ
ડૉકટર દર્શનલ પાલ ક્રાંતિકારી કિસાન યુનિયન સાથે જોડાયેલાં છે. આ સંગઠન ડાબેરી વિચારધારાને સમર્થન કરે છે. પંજાબમાં આ સંગઠનનો જનાધારી અન્ય ખેડૂત સંગઠનોની તુલનામાં ઘણું જ ઓછું છે. પરંતુ, દર્શન પાલ આજે ખેડૂત આંદોલનના સૌથી મોટા ચહેરામાંઓથી એક છે. MBBS-MD ડૉકટર દર્શન પાલ અનેક વર્ષ સુધી સરકારી નોકરી કરી ચુક્યા છે. લગભગ 20 વર્ષ પહેલાં નોકરી છોડી અને ત્યારથી અત્યાર સુધી ખેડૂતોનો અવાજ ઉઠાવી રહ્યાં છે.
કિસાન સંગઠનો વચ્ચે સમતોલન બનાવવામાં ડૉકટર દર્શન પાલે મહત્વની ભૂમિકા ભજવી છે. પટિયાલાના રહેવાસી ડૉકટર દર્શન પાલ મીડિયા સાથે વાતચીત કરવાની જવાબદારી ભજવી રહ્યાં છે. તેઓ ખેડૂત નેતૃત્વના તે ચહેરાઓમાં સામેલ છે જે ક્ષેત્રીય ભાષાઓની સાથે જ અંગ્રેજીમાં પણ ખેડૂતોની વાત ઘણી જ મજબૂતીની સાથે મીડિયાની સામે રાખે છે.
બલબીરસિંહ રાજેવાલ
બલબીરસિંહ રાજેવાલ આ આંદોલનનું કેટલું પ્રતિનિધિત્વ કરે છે તેનો અંદાજ તે વાતથી પણ લગાવી શકાય છે કે અમિત શાહ તેમની સાથે એકથી વધુ વખત ફોન પર વાત કરી ચુક્યા છે. 77 વર્ષના બલબીર ભારતીય કિસાન યુનિયનના સંસ્થાપક સભ્યોમાંથી એક છે. તેમનો ઔપચારિક અભ્યાસ ભલે જ માત્ર 12માં ધોરણ સુધી હોય પરંતુ તેમનું અધ્યયન એટલું સારૂ છે કે બીકેયૂનું બંધારણ તેઓએ જ લખ્યું છે.
આ આંદોલનમાં ખેડૂતોની વૈચારિક ધાર આપવા અને સરકાર સાથે વાતચીતની ન્યૂનતમ શરતોને નક્કી કરવામાં બલબીરની ભૂમકિા મુખ્ય રહી છે. તેઓ હાલના સમયે બીકેયૂ રાજેવાલના અધ્યક્ષ પણ છે. આ સંગઠન પંજાબમાં ખેડૂતોના મોટા સંગઠનોમાંથી એક છે.
જગમોહનસિંહ
ભારતીય કિસાન યુનિયન (ઉગરાહાં) પછી પંજાબમાં જે કિસાન સંગઠનની સૌથી મજબૂત પકડ છે, તે છે ભારતીય કિસાન યુનિયન (ડકૌંદા) જગમોહનસિંહ આ સંગઠનના જ નેતા છે. કેટલાંક રિપોટ્સ મુજબ 1984માં શીખ વિરોધ રમખામ પછીથી જગમોહનસિંહ સંપૂર્ણપણે સામાજિક કાર્યો પ્રત્યે સમર્પિત થઈ ગયા છે.
જગમોહન ફિરોઝપુરના રહેવાસી છે. તેમનો આધાર પંજાબ ઉપરાંત દેશના અન્ય વિસ્તાર અને સામાજિક કાર્યકર્તાઓ વચ્ચે પણ છે. તમામ પ્રદેશોના લોકો આ આંદોલનમાં સામેલ કરવા અને 30થી વધુ કિસાન સંગઠનોને એકજૂથ રાખવામાં તેઓ મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે.
જોગિંદરસિંહ ઉગરાહાં
ભારતીય કિસાન યુનિયન (ઉગરાહાં) પંજાબના સૌથી મજબૂત અને સૌથી મોટા ખેડૂત સંગઠનોમાંથી એક છે. જોગિંદરસિંહ તેના અધ્યક્ષ છે કે એમ પણ કહી શકાય કે જોગિંદરે જ આ સંગઠન તૈયાર કર્યું છે. તેઓ રિટાયર્ડ ફૌજી છે. તેમના પ્રભાવ અંતર્ગત આ સંગઠન ઝડપથી લોકપ્રિય થયું છે. મહિલા કિસાન પણ સંગઠન સાથે જોડાઈ રહી છે. દિલ્હી પહોંચેલા ખેડૂતોમાં એવા લોકોની સંખ્યા ઘણી વધારે છે જે જોગિંદરના નેતૃત્વમાં અહીં આવ્યા છે