ડીસા નાયબ કલેકટર દ્વારા કાર્યક્રમની મંજુરી રદ કરાતાં કિશોરભાઈ દવે દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી નારાજગી વ્યક્ત કરાઈ

ભારત સરકાર દ્વારા આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા માં ઉપલક્ષ માં આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમની ઠેર ઠેર ઉજવણી કરાઈ રહી છે અને કાર્યક્રમ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી છે ત્યારે ભારત સરકાર અને ગુજરાત સરકારના આ નિર્ણયને ડીસા ના જાણીતા ગ્રાહક હિત રક્ષક સંસ્થાના જાગૃત નાગરિક સુરક્ષા મંડળે આવકારીને લોકોમાં રાષ્ટ્ર ભક્તિની સુદ્વઢ થાય તેવા ઉદ્દેશ્ય સાથે ધ્વજ વંદન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માટે સંસ્થાએ નાયબ કલેકટર પાસે મંજૂરી માંગી હતી અને નાયબ કલેકટરે તારીખ 8/ 8 /2022 રોજ કાર્યક્રમ યોજવાની પરવાનગી આપી હતી પરંતુ ત્યારબાદ અણગમ્ય કારણોસર 10/8/2022 ના રોજ રજાના દિવસની તારીખ મારીને અચાનક પરવાનગી રદ કરી દીધી હતી.ડીસાના નાયબ કલેકટરના આ ગેર બંધારણીય પગલા સામે અમે બનાસકાંઠા ના કલેકટરને અપીલ કરી છે. નાયબ કલેકટર નો હુકમ રદ કરવા અમે કાર્યક્રમ યોજવા અંગેની પરવાનગી માંગેલ છે તદ ઉપરાંત નાયબ કલેકટર ના આવા સરકારની નીતિ સામે પડકાર ફેંકતા નિર્ણય સામે મુખ્યમંત્રી. ગૃહમંત્રી.અને વડાપ્રધાને પુરાવો સાથે રજૂઆત કરીશું અને માગણી કરીશું કે આવા ઘેર જવાબદાર નિર્ણયો સામે પગલા ભરે એવી અમારી માંગ છેગ્રાહક જાગૃત મંડળના પ્રમુખ કિશોરભાઈ દવે દ્વારા જણાવ્યું હતું કે ભલે મંજૂરી રદ કરી હોય તેમ છતાં અમે નિર્ધારિત સમય કાર્યક્રમ કરવાના છીએ અને રાષ્ટ્રધ્વજ વંદન કરવાએ સૌ ભારતીય નું અધિકાર છે અને કોઈ અમને રોકી ન શકે તેથી ડીસા ની જાહેર જનતાને પણ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આહવાન કરવામાં આવે છે બને તેટલા વધુમાં વધુ લોકો આ ધવજ વંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવી વિનંતી કરવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *