દાંતા આદર્શ નિવાસી શાળા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ

બનાસકાંઠા ના દાંતા તાલુકા ના આદર્શ નિવાસી શાળા ખાતે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરાઈ હતી. જેમાં ગુજરાત આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેમાં કાર્યક્રમ ની શરૂઆત આદિવાસી સમાજના લોકો દ્વારા પરંપરાગત ઢોલ સાથે નૃત્ય કરી મહેમાનોનું સ્વાગત કરાયું જે બાદ ઉપસ્થિત મહાનુભવોનું સ્ટેજ પર ગુલદસ્તા આપી અને અભિવાદન કરાવ્યું હતું.આ કાર્યક્રમ માં ગુજરાત રાજ્ય સરકારના મંત્રી અર્જુનસિંહ ચૌહાણ સહિત આગેવાનો તેમજ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે અનેક વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાદમુહૂર્ત તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં આદિવાસી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને હર્ષ ભેર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *