આંદોલનને લગતાં કેટલાંક અપડેટ
- ચંદીગઢમાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના ઘરની બહાર પ્રદર્શન કરી રહેલા પંજાબ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ પર પોલીસે વોટર કેનન ચલાવ્યું. યુથ કોંગ્રેસના કાર્યકર્તા માગ કરી રહ્યા હતા કે ખટ્ટર ખેડૂતો વિરુદ્ધ ફોર્સ ઉપયોગ કરવા માટે માફી માગે.
- ખેડૂત આંદોલનની સફળતા માટે ભારતીય ખેડૂત યુનિયન(ટિકૈત)ના નેતાઓએ ગાજીપુર બોર્ડર પર હવન કર્યો
- દિલ્હી-UP બોર્ડર(ગાજીપુર-ગાઝિયાબાદ) પર ભેગા થયેલા ખેડૂતોએ આજે સવારે બેરિકેડ્સ ધકેલીને હટાવી દીધાં
- પોલીસે દિલ્હી-હરિયાણાના ટીકરી બોર્ડર સાથે સાથે આજે ઝારોદા અને ઝટીકરા બોર્ડરને પૂરી રીતે બંધ કરી દીધી છે. બડ્ડસરાય બોર્ડરથી માત્ર ટૂ-વ્હીલરની મૂવમેન્ટની મંજૂરી છે.
- નોઈડા લિન્ક રોડ પર આવેલી ચિલ્લા બોર્ડર પણ આજે બંધ કરી દેવાઈ છે. ગૌતમ બુદ્ધ ગેટ પર ખેડૂતોના પ્રદર્શનને ધ્યાનમાં રાખતાં પોલીસે આ નિર્ણય કર્યો છે.
- ખેડૂતોના આંદોલનને ધ્યાનમાં રાખતાં નોર્દન રેલવેએ અજમેર-અમતૃસર એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેનને આજે રદ કરી છે. ગુરુવારે અમૃતસર- અજમેર એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન અને અમૃતસર- ડિબ્રૂગઢ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે. ભટિંડા-વારાણસી એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન આગામી આદેશ સુધી કેન્સલ રહેશે.
- નાંદેડ- અમૃતસર એક્સપ્રેસ આજે દિલ્હી સુધી અને બાંદ્રા અમૃતસર એક્સપ્રેસ ચંદીગઢ સુધી દોડશે. અમૃતસર-જયનગર એક્સપ્રેસ અને દુર્ગ-જમ્મુ તાવી એક્સપ્રેસનો રૂટ ડાઇવર્ટ કરવામાં આવ્યો છે.
- મહારાષ્ટ્રનાં ખેડૂત સંગઠનોએ આંદોલનનું સમર્થન કરતાં કહ્યું હતું કે સરકાર 3 ડિસેમ્બર સુધી કૃષિ કાયદાઓ સાથે જોડાયેલી ચિંતાઓને દૂર કરે. આવું નહીં થાય તો તે દિલ્હી કૂચ કરશે.
- 3 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી પ્રથમ તબક્કાની વાતચીત યોજાઈ. ત્યાર બાદ આશરે 6 વાગે ફરી ચર્ચા શરૂ થઈ અને આશરે 30 મિનિટમાં પૂરી થઈ.
- હરિયાણાના અપક્ષ ધારાસભ્ય અને સાંગવાન ખાપના પ્રમુખ સોમબીર સાંગવાને ખટ્ટર સરકારને સમર્થન પાછું ખેંચી લીધું. ચરખી દાદરીમાં સાંગવાને કહ્યું-ખેડૂતો પર થયેલા અત્યાચારોને જોતાં હું સરકારને આપેલું સમર્થન પાછું ખેંચું છું.
- CAA સામે શાહીન બાગ પ્રદર્શનમાં સામેલ થયેલાં 82 વર્ષનાં બિલ્કિસ બાનોને પોલીસે કસ્ટડીમાં લીધાં. તેઓ ખેડૂતોના પ્રદર્શનમાં સામેલ થવા સિંઘુ બોર્ડર પર પહોંચ્યાં હતાં.
- ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખર આઝાદ વિરોધપ્રદર્શન કરી રહેલા ખેડૂતોને સમર્થન આપવા દિલ્હી-યુપી બોર્ડર પહોંચ્યા.