દિલ્હી ખાતે કોંગ્રેસ દ્વારા વધતી જતી મોંઘવારી મુદ્દે આજે વિરોધ પ્રદર્શન માટે સંસદ ભવનથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરવામાં આવી હતી પરંતુ દિલ્હી પોલીસે કોંગ્રેસની આ કૂચને અડધા રસ્તે જ અટકાવી હતી અને કોંગ્રેસના રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહીત દિગ્ગજ નેતાઓની અટકાયત કરી હતી. પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કરતા તેઓ ધારણા પર બેસી ગયા છે. કોંગ્રેસનું આ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન છે. કાળા કપડાં પહેરીને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહીત કોંગ્રેસના અનેક નેતાઓ સામેલ. અત્યારે કોંગ્રેસ કાર્યકર્તા અને દિલ્હી પોલીસ વચ્ચે ઘર્ષણ શરૂ છે. દિલ્હીમાં વિજય ચોક પાસે કોંગ્રેસની રેલીને અટકાવી દેવામાં આવી છે.કોંગ્રેસ મોંઘવારી અને બેરોજગારી સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એઆઈસીસી હેડક્વાર્ટર ખાતે એકઠા થયા હતા. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે જ રાજ્યસભાના સાંસદો કાળા કુર્તા અને પાઘડી પહેરીને સંસદ પહોંચ્યા હતા. કોંગ્રેસના કાર્યકરો રોડથી સંસદ સુધી વિરોધ કરી રહ્યા છે.કોંગ્રેસ દ્વારા મોંઘવારી સામે દેશભરમાં હંગામો ચાલુ છે. દિલ્હી પોલીસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને કસ્ટડીમાં લીધા છે. કોંગ્રેસના અનેક સાંસદો વિજય ચોક ખાતે ધરણા પર બેઠા છે. વાસ્તવમાં રાહુલ ગાંધી કોંગ્રેસના સાંસદો સાથે સંસદ ભવનથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરી રહ્યા હતા. પરંતુ પોલીસે તેમને વિજય ચોકમાં જ અટકાવ્યા અને રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસે આ કૂચ માટે કોંગ્રેસને મંજૂરી આપી ન હતી. આ વિસ્તારમાં કલમ 144 લાગુ છે.
સાંસદો પર હુમલો થયો - રાહુલ ગાંધી : આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, તમામ સાંસદો મોંઘવારીનો મુદ્દો ઉઠાવવા રાષ્ટ્રપતિ ભવન જઈ રહ્યા હતા. પરંતુ અમને આગળ જવા દેવામાં આવતા નથી. અમારું કામ લોકોના પ્રશ્નો ઉઠાવવાનું છે. કેટલાક સાંસદોની અટકાયત કરવામાં આવી છે. કેટલાક સાંસદોને માર મારવામાં આવ્યો હતો.કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ કહ્યું કે અમે રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પરંતુ પોલીસે અમને રોક્યા. પોલીસનું કહેવું છે કે આ વિસ્તારમાં કલમ 144 લાગુ છે. અહીં વિરોધ પ્રદર્શનની મંજૂરી નથી. કોંગ્રેસના સાંસદોની ધરપકડની કરવામાં આવી છે. તો બીજી તરફ કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે કહ્યું, આ વિરોધ મોંઘવારી અને અગ્નિપથને લઈને છે. મોંઘવારીએ દરેકને અસર કરી છે. રાજકીય પક્ષ હોવાના નાતે લોકોનો અવાજ ઉઠાવવો એ આપણી ફરજ છે. અમે એટલા માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ.