શ્રાવણ મહિનામાં AMTSએ ધાર્મિક બસ પ્રવાસ યોજના શરુ કરી, 23 મંદિરો ફરી શકો છો, ટિકિટના પૈસા ઘટાડ્યા

અમદાવાદમાં શ્રાવણ મહિનામાં ધાર્મિક સ્થળો પર ઘર પરીવારના સભ્યો જતા હોય છે. ત્યારે ખાસ કરીને કોર્પોરેશને લોકો માટે ખાસ વ્યવસ્થા આ વખતે ગોઠવી છે. સામાન્ય ટિકિટના દરોમાં તમે વિવિધ મંદીરોના દર્શન કરી શકો છો.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધાર્મિક બસ પ્રવાસ યોજનાની શરુઆત કરાવવામાં આવી રહી છે. જેમાં અમદાવાદના 23 જેટલા મંદિરોમાં જઈ પ્રવાસીઓ દર્શન કરી શકે છે. જેમાં કોર્પોરેશને શ્રાવણ મહિનામાં AMTSના ટિકિટોના દરોમાં ઘટાડો કર્યો છે. જેથી અમદાવાદ અને અમદાવાદ શહેરની આસપાસમાં શિવમંદીરોમાં દર્શન માટે જઈ શકો છો. જેમાં ટિકિટોના દરોની વાત કરવામાં આવે તો 45થી લઈને 90 રુપિયા ટિકિટ રાખવામાં આવી હતી પરંતુ હવેથી તેમાં ઘટાડો કરાયો છે. જેમાં 30થી લઈને 60 રુપિુયા ટિકિટના દરો નક્કી કરાયા છે.અમદાવાદ મ્યુનિસિપાલિટીની સૌથી જૂની ટ્રાન્સપોર્ટ સર્વિસ એએમટીએસ છે ત્યારે આ વખતે લોકોને ધ્યાનમાં રાખીને આ સેવા શહેરીજનોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. જેમાં અમદાવાદાના વિવિધ મંદિરોના ગેટ સુધી આ બસ તમને લઈ જશે.રક્ષાબંધન માટે ખાસ ઓફર મૂકીઆ ઉપરાંત કોર્પોરેશન દ્વારા રક્ષા બંધન માટે ખાસ કરીને 10 રુપિયામાં મુસાફરી મહિલાઓને કરાવવામાં આવશે. જેમાં બાળકોને ફક્ત 5 રુપિયા જ ટિકિટ રાખવામાં આવી છે. આ મનપસંદ ટિકિટ યોજના ખાસ કરીને રક્ષાબંધનને ધ્યાનમાં રાખીને શરુ કરવામાં આવી છે.એક બસમાં 40 પ્રવાસીઓ કરી શકશે મુસાફરીકોર્પોરેશન દ્વારા ટ્રાન્સપોર્ટ સર્વિસની સુવિધાને ધ્યાનમાં રાખી ધાર્મિક બસ પ્રવાસ યોજનામાં ઓછામાં ઓછા 40 પ્રવાસીઓ હોવા જરૂરી છે. સવારે સવા આઠ કલાકેથી ઉપડી વિવિધ 23 મંદિરે ફરી સાંજે સવા ચાર વાગ્યે પરત લાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *