મહામારીની તહેવારો પર અસર યથાવત છે. અમદાવાદમાં મહામારીને પગલે છઠ્ઠ પૂજાના આયોજન પર AMC સહિત આયોજકોએ બ્રેક મારી છે. અને છઠ્ઠ પૂજાનું આયોજન ન કરવાનો નિર્ણય કરાયો છે. AMCએ ભય વ્યક્ત કર્યો છે કે છઠ્ઠ પૂજામાં મોટી સંખ્યામાં લોકો એકઠાં થતા હોય છે. જેને પગલે સંક્રમણ વધવાની પ્રબળ શક્યતા રહેલી છે. આમ વધુ એક તહેવાર પર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. અને ઉજવણી મોકુફ રખાઇ છે. જોકે જે ઘાટ પર પૂજા કરાતી હોય છે ત્યાં મોટાપાયે ગંદકીનો માહોલ જોવા મળ્યો.