ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો એ સરકાર ને આપ્યું અલ્ટીમેટમ

બનાસકાંઠા જિલ્લામાં અત્યારે 170 જેટલી ગૌશાળા અને પાંજરાપોળ આવેલી છે જેમાં રખડતા, ની સહાય, બિનવારસી, કતલખાને જતા અને બીમાર 80 હજાર જેટલા પશુઓ ને સાર સંભાળ થાય છે આમ તો આ ગૌશાળાઓ અત્યાર સુધી દાનની આવક પર જ નિર્ભર હતી પરંતુ કોરોના મહામારી બાદ દાનની આવક સતત ઘટી છે તેવામાં ગુજરાત સરકારે બજેટમાં ગૌશાળાઓને 500 કરોડ રૂપિયાની સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી. જેથી સરકારે સહાય કરી છે તેવું જાણી દાન આવતું પણ ઘટી ગયું છે.

તો બીજી તરફ અત્યારે ઘાસચારાનો ભાવ આસમાને પહોંચ્યો છે આવી સ્થિતિમાં ગૌશાળા પશુઓનો નિભાવ કરવું મુશ્કેલ બન્યું છે. અત્યારે જિલ્લાની ગૌશાળા ના સંચાલકો પશુઓ માટે ઘાસચારાની માંડ માંડ વ્યવસ્થા કરી રહ્યા છે. જે અંતર્ગત આજે ડીસા ની કાંટ પાંજરાપોળ ખાતે જિલ્લાના તમામ ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોની બેઠક યોજાઇ હતી અને ત્યારબાદ તમામ સંચાલકોએ પાલનપુર કલેકટર કચેરી જઇ આવેદનપત્ર આપી સરકારને 24 તારીખ સુધીની અલ્ટીમેટમ આપ્યું છે જો 15 દિવસમાં સરકારે જાહેર કરેલી સહાય ચુકાવતા માટે કોઈ આયોજન નહીં થાય તો તમામ ગૌશાળા અને પાંજરાપોળમાં રહેલા 80,000 પશુઓને સરકારી કચેરીમાં સરકાર ભરોસે છોડી દેવાની ચીમકી ઉચ્ચારી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *