ડીસાના માતાશેરી થી બહુચરાજી પગપાળા યાત્રા સંઘ પ્રયાણ કરશે

ડીસામાં 44 વર્ષ થી નિકળતો પગપાળા સંઘ પૂનમે બહુચરાજી પહોંચશે

ડીસા સ્થિત શ્રી બહુચર કૃપા સંઘ દ્વારા તેમજ મોદી સમાજ દ્વારા આયોજીત ડીસા થી બહુચરાજી 44 માં પગપાળા સંધ રવિવારે ડીસા શહેરના માતાશેરી ખાતે આવેલ બહુચર માતાના મંદિરથી બહુચરાજી તરફ જવા પ્રસ્થાન કરશે.ડીસાથી નિકળેલ બહુચરાજી પગપાળા યાત્રા સંઘ સોમવારે સવારે પાટણ ખાતે પહોંચતા ભવ્ય શોભાયાત્રા નગરમાં ફરશે. જેનું ઠેર ઠેર લોકો દ્વારા સ્વાગત કરવામાં આવશે. જયારે મંગળવારના દિવસે મોઢેરા ખાતે આરતી થશે ત્યારબાદ આનંદના ગરબાની મંડળો દ્વારા રમઝટ બોલાશે અને બુધવારે આ સંધ સવારે બહુચરાજી મુકામે પહોંચી ત્યાં પણ ભવ્ય શોભાયાત્રા નીકળશે. માં બહુચર માતાની આસ્થા ધરાવતા સમાજના ભાઈઓ તેમજ આ પગપાળા સંઘના આયોજકો સુંદર આયોજન કરી ખડેપગે સેવાઓ આપશે.તો આ પગપાળા સંઘમાં વધુને વધુ ધર્મપ્રેમી લોકો જોડાય તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *