સ્થાનિક સ્વરાજની ચૂંટણી માં પ્રજાપતિ સમાજને યોગ્ય સ્થાન આપવા માંગણી

પાટણ માં અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં અન્ય પછાત વર્ગો માટે ની અનામત બેઠકો માં પ્રજાપતિ સમાજ ને રાજકીય ક્ષેત્રે અન્યાય ના કરવા માં આવે તેવી સરકાર સમક્ષ માંગ સાથે કલેક્ટર ને આવેદન પત્ર આપવા માં આવ્યુ હતું.પાટણ ખાતે બુધવારે અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા આપવા માં આવેલા આવેદન પત્ર માં રજૂઆત કરવા માં આવી હતી કે ગુજરાત માં વસ્તી ના ધોરણે કુંભાર /પ્રજાપતિ ત્રીજા નંબર ની જ્ઞાતિ ગણાય છે. ગુજરાત માં જ્ઞાતિજ નો વિવિધ ઘટકો વિવિધ પેટા ગોળો માં વહેંચાયેલ છે.જેમાં મુખ્ય 21 શાખા ઓ છે તેમજ 24 પેટા શાખા ઓ છે. પ્રજાપતિ સમાજ નો મોટો વર્ગ માટી કામ કરે છે જે આર્થિક સામાજિક રાજકીય અને શૈક્ષણિક ક્ષેત્રે નબળો સમાજ છે જેથી ગુજરાત માં ત્રીજા નંબર નો સમાજ હોવા છતાં એક પણ ધારાસભ્ય નથી જે દર્શાવે છે કે રાજકીય ક્ષેત્રે કુંભાર પ્રજાપતિ સમાજ કેટલો પાછળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *