વાવ ના સમલી બેટ માં લોકડાયરા નું આયોજન કરાયું ,હજારો ની સંખ્યા માં લોકો ઉમટી પડ્યા

સરહદી બનાસકાંઠા ના વાવ ના અસારા સમલી બેટ શ્રી લખાપીર પંચકેરડા ધામ માં ગૌ શાળા ના લાભાર્થે લોક-ડાયરા આયોજન કરવામાં આવ્યું હતું .આ લોકડાયરા માં ગુજરાત લોક સાહિત્ય ના કલાકારો એ ભાગ લીધો હતો જેમાં રાજભા ગઢવી ,દેવાયત ખાવડ ,વનિતા પટેલ દશરથદાન ગઢવી ,શ્રવણસિંહ સોઢા ,સિદ્ધરાજસિંહ ગામોટ સહિતના નામાંકિત કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી. જેને પગલે લોકડાયરામાં લાખોની મેદની ઉમટી પડી હતી. .

આ કાર્યક્રમ માં મહેમાન તરીકે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ,થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત,બનાસડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરી સહીત નામી અનામી લોકો હાજર રહ્યા હતા અને લાખો હજારો ની બહોળી સંખ્યા માં લોકો એ ડાયરા નો આનંદ,માણ્યો હતો જેમાં લોકો એ પૈસા નો વરસાદ કર્યો હતો .જેમાં અંદાજીત અઢળક લાખો રૂપિયાનો ફાળો એકત્રિત કરવામાં આવ્યો હતો ઉલ્લેનનીય છે કે,આજ થી ૩૦૦ વર્ષ પેહલા દાદા લખાપીર ગાયો ની વારે ચડ્યા હતા અને ગાયો ને બચાવવા દુશ્મનો સાથે લડ્યા હતા અસારા ની સમલીમાં શહિદ થયા હતા.  આ સમલી ની જગ્યાએ લખાપીર ના  હાથને ઓળખવો મુશ્કેલ હોવાથી  લખાપીર દાદાને આરાધના  કરતાં લખાપીરે પોતાના હાથની પાંચે ઓંગળીએ દીવાઓ પ્રગટાવી ઓળખાવ્યો હતો.અને તેમના હાથ ને વાવ લખાપીર ધામ ખાતે સમાધિ આપવામાં આવી હતી ,અને હાલ એ સમાધિ હયાત છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *