ડીસાના વિઠોદર ગામે આગમાતાના મંદિરે ભવ્ય લોકમેળો યોજાયો

બનાસકાંઠા જીલ્લા ના ડીસા તાલુકાના વિઠોદર ગામે આવેલ આગમાતાના પ્રસિદ્ધ મંદિરે ભવ્ય લોકમેળો યોજાયો હતો.કોરોના મહામારી બાદ પ્રથમ વખત મેળો યોજાતા મોટી સંખ્યામાં જન મેદની ઉંમટી હતી.આગ માતાના મંદિરે મોટી સંખ્યામાં ગુજરાત ઉપરાંત રાજસ્થાનથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે.દર વર્ષે અહીં કાર્તિકી પૂર્ણિમાના દિવસે મેળો યોજાય છે. જોકે કોરોના મહામારીના કારણે બે વર્ષથી મેળો યોજાયો ન હોવાથી આ વર્ષે મેળો યોજાતા મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. જ્યારે અનેક લોકોએ આગમાતાની બાધા આખડીઓ પૂર્ણ કરી હતી. મેળામાં ગુજરાત ઉપરાંત મારવાડી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં આવતા પોલીસે બંદોબસ્ત જાળવી ટ્રાફિકની વ્યવસ્થા કરી હતી.ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા પણ મેળામાં આવતા દર્શનાર્થીઓ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version