વાવ ના નાળોદર અને ઢીમાનાં ખેતરોમાં આગ લાગી,થરાદ ફાયરફાઈટર દ્વારા કાબુમાં લેવાઈ

સરહદી વાવ તાલુકામાં ઉનાળાની ગરમીનાં પ્રારંભે જ આગ લાગવાનાં બનાવો બની રહ્યાં છે.ત્યારે સરહદી વાવ તાલુકાનાં યાત્રાધામ ઢીમા ગામની સીમમાં વાવ ઢીમા રોડ પર આવેલ બ્રાહ્મણ પ્રકાશભાઈ શંકરભાઈનાં ખેતરની વાડમાં આગ લાગી હતી.જોકે આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.ત્યારે આગ વિકરાળ હોઈ થરાદ નગરપાલિકાનાં ફાયરફાઈટર દ્વારા ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.જોકે સત્તાવાર મળતી માહિતી મુજબ કોઈ મોટું નુકસાન થયું નહોતું.

ત્યારે બીજા બનાવમાં વાવ તાલુકા નાળોદર ગામની સીમમાં ગોહિલ સગથાભાઈ રામજીભાઈનાં ખેતરની વાડમાં વિજલાઈન ઉપરથી પસાર થતી હોવાથી બાવળોનું ઝુંડ અડતું હોવાથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું.નાળોદર ગામે આગ લાગવાના બનાવના પગલે ફાયર વિભાગને જાણ કરાઈ પરંતુ ફાયર ફાઈટરનું ટાયર ફાટતાં ફાયરટીમ પહોંચી શકી નહી.અત્રે નોંધનીય છે કે સરહદી વાવ તાલુકામાં ઉનાળામાં ગરમીમાં આગ લાગવાનાં બનાવો દિનપ્રતિદિન વધી રહ્યાં છે. ત્યારે સુઈગામ તાલુકાનાં ગામડાઓમાં ફાયરફાઈટરનાં અભાવે અનેક વખત મોટું નુકસાન થાય છે.ત્યારે થરાદ નગરપાલિકાનું ફાયરફાઈટર પહોંચે એ પહેલાં તો આગ બેકાબુ બની જાય છે.રાજ્ય સરકાર દ્વારા સરહદી સુઈગામ કે વાવ ખાતે ફાયરફાઈટર ઉપલબ્ધ કરે તેવી માંગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *