બનાસકાંઠા જિલ્લાની સરહદી વિસ્તારની કેનાલો માં છેવાડાના ખેડૂત સુધી સિંચાઈ માટે પાણી મળતું નથી જેવા પ્રશ્નો ને લઇ ને ખેડૂતો ના વિડીઓ વાયરલ થતા હોય છે તેવો જ વિડીઓ વધુ એક વખત ખેડૂતો દ્વારા નર્મદાનાં અધિકારીઓ અને રાજ્ય સરકારને જગાડવા માટે ચોટીલ માઈનોર કેનાલની આજુબાજુનાં ખેડૂતો અને ભોરોલ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાંથી સિંચાઈનું પાણી મેળવતા ખેડૂતોએ વિડીઓ વાયરલ કર્યો હતો.જેમાં ઢોલક,મંજીરા જેવાં સિતાર જેવા વાજિંત્રોનો ઉપયોગ કરીને ભજનો ગાઈ રહ્યાં છે.અને તંત્રને જગાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે ઉલ્લેખનીય છે ખેડૂત દ્વારા આ અંગે ખેડૂતોએ પણ અનેક રજૂઆતો કરી છે છતાં પણ સિંચાઈ માટે રવીસીઝન પૂર્ણ થવાને આવી છે.છતાં પણ સિંચાઈ માટે પાણી મળતું નથી.આ વિડીઓ ના પગલે ખેડુતો ને પાણી મળશે કે નહિ જે હવે જોવાનું રહ્યું .