સુઇગામ તાલુકા ના હરસડ ગામે ઢેગાવાળા મંદિરે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો, નવીન પાણી ની ટાંકી નુ ખાત મૂર્ત

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :સુઈગામ

તારીખ 2/8/21 ના રોજ બનાસ ડેરી ના અને હરસડ ઘી  દુધ ઉત્પાદન મંડળી ના સંયોજક થી બનાસ ડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરી ના હસ્તે સુઇગામ તાલુકા ના હરસડ ગામે વૃક્ષારોપણ નો કાર્યક્રમ ઢેગાવાળા ગોગા મહારાજ ના મંદિરે યોજવામાં આવ્યો હતો જેમાં ખૂબ જ સંખ્યા માં હરસડ ગામ ના યુવાનમિત્રો વડીલો માતાઓ અને બહેનો હાજર રહ્યા હતા અને બહાર થી મહેમાનો પણ હાજર રહયા સુઇગામ તાલુકા ના તેમજ જિલ્લા ના ડેલીકેટ . તેમજ તાલુકા ડેલીકેટ શ્રી જામાભાઈ ચૌધરી હાજર રહ્યા, તેમજ બનાસ ડેરી ના સુઇગામ તાલુકા ના ડીરેક્ટર શ્રી  અને ઉમેદદાન ગઢવી    રામજીભાઇ રાજપુત  રામસિગભાઇ રાજપુત (દુદોસણ) દાનાજી ચાવડા ભુરાજી ચાવડા  ભરતસિહ ગોહીલ  પિરાભાઇ  નરસિંહ ભાટા  સુઈગામ તાલુકાના ડેરી વિસ્તરણ અધિકારી શ્રી રમેશભાઈ ચૌધરી તેમજ સુપરવાઇઝર શ્રી મેઘરાજભાઈ ચૌધરી  અને ભાજપ ના સુઈગામ તાલુકાના તમામ પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમ કરવામાં આવ્યો હતો…જેમાં શંકરભાઈ ચૌધરી એ હરસડ માં પધારેલ સૌ આગેવનો અને ગ્રામજનોને સંરપચ નો ને  વૃક્ષારોપણ વિશે ખૂબ માહીતી આપી અને હરસડ માં વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં જે આયોજક યુવાનમિત્રો અને વડીલો નો સાહેબ શ્રી શંકરભાઈ ચૌધરી એ આભાર વ્યકત કર્યો.. તેમજ હરસડ ગામે નવીન પાણી ની ટાંકી નુ ખાત મૂર્ત સાહેબ શ્રી શંકરભાઈ ચૌધરી ના હસ્તે કરવામાં આવ્યું….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *