ગુજરાત સરકાર માં પેપર લીક થયું તેવું કોઈ એક પેપર નથી છેલ્લા ધણા સમય થી અનેક ભરતી ના પેપર લીક થયા છે તેમાં વનરક્ષકની 2018 માં જાહેર થયેલી પરીક્ષા ચાર વર્ષ બાદ તારીખ ૨૭/૦૩/૨૦૨૨ માં લેવાય તેમ છતાં સરકારની ઘોર બેદરકારી અને અણઆવડત ના કારણે ગેરરીતી થઇ છે અને અંદાજિત 5.60.000 યુવાનો નું ભાગ્ય જોખમાયું છે.ત્યારે ન્યાયિક તપાસની માંગણી વાવનાં યુવાનોએ વાવ ના ગ્રામીણ મામલતદારને આવેદનપત્ર આપી યુવાહિત માં તટસ્થ તપાસ માંગ કરી છે અને વધુમાં આ ભરતી રદ કરવામાં નહિ આવે તો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉગ્ર આંદોલન ચીમકી પણ ઉચ્ચારી હતી