અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદીયા આજે ગુજરાતના પ્રવાસે છે ત્યારે દિલ્હીના શિક્ષણ મંત્રીએ આજે શિક્ષણને લઈને મહત્વની ગેરન્ટીઓ ગુજરાતમાં આપી છે. ગુજરાતમાં શિક્ષણ મુદ્દે રાજનિતીની શરુઆત થઈ છે. શિક્ષણના મુદ્દે શહેરોમાં ફી વધારા, શિક્ષકોની ઘટ સહીતના પ્રશ્નો પણ છે. ત્યારે મનિષ સિસોદીયાએ કહ્યું હતું કે, ગુજરાતમાં સારા શિક્ષણની જરુર છે. આમ આદમી પાર્ટીની સરકાર મળશે તો ગામડાઓની અને શહેરીની સ્કૂલોને શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવશે. જે રીતે દિલ્હીમાં અને હવે પંજાબમાં તેની શરુઆત થઈ છે.
જેથી આજે અમે પણ કહી રહ્યા છીએ કે, અમે સારી શિક્ષણ વ્યવસ્થા લઈને આવીશું. ગ્રામ્ય અને શહેરી ક્ષેત્રે સારી સ્કૂલો બનાવીશું. તેમ દિલ્હીના શિક્ષણ મંત્રીએ કહ્યું હતું. આ સાથે શિક્ષકોની ભરતી મામલે કહ્યું હતું કે, શિક્ષકોની ઘટ ના પડે તે હેતુથી અમે શિક્ષકોની ભરતી પણ કરીશું. આ સાથે ગુજરાતમાં જે ફી વધારાનો પ્રશ્ન છે તે મામલે જણાવ્યું હતું કે, ખાનગી સ્કૂલોમાં જે બાળકો ભણે છે તેમને ફી વધારો નહીં કરવા દઈએ તેમ પણ મનીષ સિસોદીયાએ કહ્યું હતું.
આ સાથે દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગુજરાતમાં ભાજપની 27 વર્ષથી સરકાર છે. અહીં બીજેપીના નેતાઓ કોઈનું સાંભળતા નથી. અમે રાજનિતી બદલવા માટે આવ્યા છીએ.ટ ગુજરાતમાં અમે શિક્ષણ અને સારા સ્વાસ્થ્યની ગેરન્ટી આપવા માટે આવ્યા છીએ.