વાવ ના ચંદનગઢ માં પાણી ની પારાયણ

સરહદી બનાસકાંઠા ના વધુ એક ગામ માં પાણી નો પોકાર ઉઠવા પામ્યો છે જેમાં વાવ તાલુકા ચંદનગઢ ગામ માં છેલ્લા એક માસ થી રેગ્યુલર પીવાનું પાણી ના મળતા  કળકળાટ યથાવત જોવા મળ્યો છે દર વર્ષે ની જેમ આ વર્ષે પણ  ઉનાળાની સીઝનમાં પાણીની વિકટ સમસ્યાથી ઝઝૂમતા સરહદી પંથક વિસ્તાર ના કેટલાય લોકો સહીત પશુ પખીયો ભારે હાલાકીઓને સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે પાઇપલાઇનમાં બિનઅધિકૃત કનેક્શન વધારે હોવાથી પાણી ના  મળતું હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ બાબતથી સ્થાનિક નેતાઓથી લઈને તંત્રના જવાબદારો પણ સારી રીતે વાકેફ છે. પરંતુ નક્કર કાર્યવાહીના અભાવે આ વિસ્તારના લોકોએ દર વર્ષે પાણી માટે રઝળપાટ કરવાનો વારો આવે છે.વધુ માં અહીના લોકો ની એક જ માંગ તાત્કાલિક ધોરણે પીવાનું પાણી મળે તેમ જણાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *