બનાસકાંઠા : સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન શરૂ કરાયું

(માહિતી બ્યૂરો, પાલનપુર)

બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓ તા.૧૬/૦૩/૨૦૨૦ થી કોરોના મહામારીના કારણે બંધ થતાં શાળાઓમાં બાળકોને બપોરનું ભોજન આપવાની પ્રથા બંધ કરવામાં આવેલ હતી. તા.૨૧/૦૨/૨૨ થી સમગ્ર રાજયની પ્રાથમિક શાળાઓ શરૂ કરવાનો રાજય સરકારે નિર્ણય લીધેલ. પ્રાથમિક શાળાઓમાં રાજય સરકાર ધ્વારા બપોરનું ભોજન તા.૩૧/૦૩/૨૨ ના રોજ શરૂ કરવાનો નિર્ણય રાજય સરકારે તા.૨૮ માર્ચ-૨૦૨૨ ના રોજ કરેલ છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓના ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓને મ.ભો.કેન્દ્રો પર બપોરનું ભોજન આપવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. તે માટે પુરતી વિગતે આયોજન કરેલ છે. તેમ નાયબ કલેકટરશ્રી મધ્યાહન ભોજન યોજના ની અખબારી યાદીમાં જણાવાયુ છે

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version