પાટણ માં જૈનધર્મમાં પર્યુષણ પર્વનું ધાર્મિક દ્રષ્ટિએ મહત્વ સમજાવતાં જીજ્ઞાબેન શેઠ પાટણ જીલ્લામાં પર્યુષણના આઠ દિવસમાંથી પહેલા સાત દિવસ તો પ્રિપેરેશનના હોય છે અને આઠમો દિવસ જ પર્યુષણનો હોય છે , કેમ કે એ દિવસ સાત દિવસ સમજ પ્રાપ્તર કર્યા પછી આઠમો દિવસ સમજપૂર્વકની ક્ષમાપનાનો હોય છે . પર્યુષણ પર્વનો પ્રારંભ થાય ત્યારે જેનો જૈનેતરો પણ એકબીજાને મિચ્છા મિ દુક્કડમ કહેવાની હરીફાઈમાં ઉતરે છે . મિચ્છા મિ દુક્કડમ ઔપચારિકતા બની જવું ના જોઈએ . આપણ જે હેપી દિવાલી અને હેપ્પી ન્યુયર કહીએ છીએ તેમ મિચ્છા મિ દુક્કડમ કરવું જોઈએ . તેને જ ધર્મમાં સાચું અનુષ્ઠાન કહેવામાં આવ્યું છે . એક જમાનામાં મિચ્છા મિ દુક્કડમ કહેવા માટે ક્ષમાપના કાર્ડ છાપીને સગાવહલાઓને મોકલી આપતા હતા . આ કાર્ડ એવા દૂરના સંબંધીઓને પણ મળતા . જેમની સાથે આખા વર્ષમાં કોઈ વ્યવહાર થયો ન હોય , થોડા સમય પહેલા ક્ષમાપના કાર્ડ નું સ્થાન મોબાઈલના માધ્યમથી થતા મેસેજ લીધું છે . અને હવે તો આ સ્થાને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , વોટ્સેપ અને ટ્વિટર એ લીધું છે . સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ક્ષમાપના કરવામાં આવે છે , તેનું જૈન ધર્મમાં ઝાઝું મૂલ્ય નથી . ક્ષમાપના માત્ર ત્રણ પ્રકારે કરવાની હોય છે .
( 1 ) ક્ષમાપના પોતાના આત્માની સાક્ષીએ કરવાની હોય છે .
( 2 ) ક્ષમાપના ગુરુની સાક્ષીએ કરવાની હોય છે .
( 3 ) ત્રીજા પ્રકારની ક્ષમાપના સહેલાઈથી કરી શકે છે જે , ઉત્તમ પ્રકારની ક્ષમાપના છે . ઘણા લોકો એવી ગેરસમજણ માં જીવે છે કે ક્ષમાપના માત્ર પર્યુષણમાં અથવા સંવત્સરીને દિવસે જ કરવાની હોય છે . ઉત્કૃષ્ટ ક્ષમાપના માટે સંવત્સરીની રાહ જોવાની કોઈ જરૂર નથી . જ્યારે ભૂલ થાય છે . ત્યારે જ ક્ષમા માંગીને હિસાબ ચૂકતે – ચોખ્ખો કરી નાખનાર આત્મા ઉત્તમ છે . વહેલામાં વહેલી ક્ષમાપના કરી લેવી જોઈએ . છેવટે સંવત્સરી સાથે આવે ત્યારે વર્ષમાં એક વખત તો સાચી ક્ષમાપના કરી લેવી જ જોઈએ . જેઓ વર્ષમાં એકવાર પણ ક્ષમાપના નથી કરતા તેઓ અધમ ગણાય છે . જો દુનિયામાં બધા આત્માઓ જૈન ધર્મના ઉપદેશ મુજબની ક્ષમાપના કરતા થઈ જાય તો યુદ્ધની જરૂર જ રહે નહીં . મનના ભારને દૂર કરવા માટે ક્ષમાપના છે . ભાવથી ક્ષમા માંગી લ્યો , મન શાંત થઈ જશે , મન હળવુ થઈ જશે , મન પ્રફુલ્લ થઈ જશે . જેને એકવાર અણગમાને દૂર કરતા આવડી જાય છે તેના ચહેરા પર સદાય સ્મિત હોય છે . જે અણગમાને કાઢે છે એ હૃદયમાં પરમાત્મા બિરાજે છે .