આજરોજ ડીસા તાલુકાના થેરવાડા ગામે સ્વાનો દ્વારા બચકા ભરી નીલ ગાયના વાછરડાને ઇજાગ્રસ્ત કરતા તેને સારવાર અર્થે ડીસા પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યું હતું ડીસા તાલુકાના થેરવાડા ગામે આજે એક નીલ ગાયનું બચ્ચું ગામમાંથી પસાર થઈ રહ્યું હતું તે સમયે નિલગાયના બચ્ચાને ગામમાં કુતરાઓ બચકા ભરી ઇજાગ્રસ્ત કર્યું હતું જે બાદ આ અંગેની જાણ આજુબાજુના લોકોને થતા તેઓ તાત્કાલિક ધોરણે ડીસા રાજપુર પાંજરાપોળનો સંપર્ક કર્યો હતો જેથી ડીસા રાજપુર પાંજરાપોળ ના સંચાલકો તાત્કાલિક ડીસા તાલુકાના થેરવાડા ગામે પહોંચ્યા હતા જ્યાં ઇજાગ્રસ્ત નીલ ગાયના વાછરડાને સારવાર અર્થે ડીસા લાવવામાં આવ્યું હતું જ્યાં નીલ ગાયના વાછરડાને જ્યાં ઈજાઓ થઈ હતી ત્યાં ડોક્ટરો દ્વારા સારવાર કરવામાં આવી હતી