બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં નવાવર્ષ ના આરંભ થી કેનાલ માં પાણી છોડાતા ગાબડું પડવા નો સિલસિલો શરૂ થઇ ગયો છે. શિયાળુ સીઝનમાં ખેડૂતોને સિંચાઇ માટે સરકાર દ્વારા નર્મદાની કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે અને કેનાલમાં પાણી છોતાની સાથે જ કેનાલો કાગળના પત્તાની જેમ તૂટવા લાગે છે. આજે પણ નર્મદા વિભાગ દ્વારા વહેલી સવારે કેનાલમાં પાણી છોડાયું હતું. પાણી છોડતા જ સુઇગામ પાસે નેસડા નજીક માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું હતું.

ત્યારબાદ ભાભર પાસે આવેલા કારેલા નજીક પણ માઇનોર કેનાલમાં 12 ફુટજેવડું મોટું ગામડું થયું હતું. આમ મેં અલગ અલગ જગ્યાથી કેનાલમાં ગાબડા પડતા પાણી આજુબાજુના ખેતરોમાં કરી વળ્યું હતું તેના કારણે ખેડૂતો ને મોટું નુકસાન થયું હતું અને લાખો લિટર પાણીનો પણ બગાડ થયો હતો.