એશિયા કપ 2022માં બાબર આઝમનો જંગ વિરાટ કોહલી સાથે નહી પણ આ ખેલાડી સાથે થશે

એશિયા કપ 2022માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે મેચ રમાશે. બન્ને ટીમોએ એશિયા કપ 2022 માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. વિરાટ કોહલીની ટીમ ઇન્ડિયામાં વાપસી થઇ છે અને એવામાં ફેન્સને તેની વાપસીની રાહ જોઇ રહ્યા છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ શાનદાર ફોર્મમાં છે અને અત્યારે ટી-20 આંતરરાષ્ટ્રીય બેટિંગ રેન્કિંગમાં ટોપ પર છે પરંતુ એશિયા કપ દરમિયાન તેની નંબર-1ની ખુરશીનો ખતરો રહેશે પરંતુ આ ખતરો વિરાટ કોહલીથી નહી પણ અન્ય ભારતીય બેટ્સમેન છે. ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બેટિંગ રેન્કિંગમાં આ સમયે બીજા સ્થાન પર સૂર્યકુમાર યાદવ છે.બાબરના ખાતામાં 818 રેટિંગ પોઇન્ટ છે જ્યારે સૂર્યાના ખાતામાં 816 રેટિંગ પોઇન્ટ છે. ત્રીજા નંબર પર પાકિસ્તાનનો વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન છે, જે 794 રેટિંગ પોઇન્ટ સાથે આ બન્ને કરતા ઘણો પાછળ છે. હવે એશિયા કપ 2022માં આ વાતનો પણ નિર્ણય થઇ જશે કે ટી-20 વર્લ્ડકપ 2022 પહેલા ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બેટિંગ રેન્કિંગમાં કોણ ટોપ પર રહે છે. બાબર આઝમનું ફોર્મ જોતા સૂર્યકુમાર યાદવ માટે જોકે, આ આસાન થવાનું નથઈ કે તે તેની ગાદી આસાનીથી મેળવી લે.બાબર આઝમ ઇનિંગનો પ્રારંભ કરે છે જ્યારે કેએલ રાહુલની વાપસી બાદ સૂર્યકુમાર યાદવ ઓપનની જગ્યાએ નંબર-4 પર બેટિંગ કરવા આવી શકે છે. એવામાં તેની માટે બાબર આઝમને માત આપવી કઠિન સાબિત થઇ શકે છે. એશિયા કપમાં આ બન્નેની બેટિંગ નક્કી કરશે કે ક્યો બેટ્સમેન ટી-20 આંતરરાષ્ટ્રીય બેટિંગ રેન્કિંગમાં ટોપ પોઝિશન પર પોતાની જગ્યા મજબૂત કરશે.

એશિયા કપમાં ભારતના આ ખેલાડીઓ પર રહેશે નજર

એશિયા કપમાં રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, રિષભ પંત અને સૂર્યકુમાર યાદવ પર સૌની નજર રહેશે. બીજી તરફ હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા પણ ઓલ રાઉન્ડ પ્રદર્શન કરીને ટીમને ચેમ્પિયન બનાવવાનો દમ ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *