સરહદી બનાસકાંઠા જિલ્લા ના સુઇગામ તાલુકાના નવાપુરાની સીમમાંથી પસાર થતી દુધવા માઇનોર 2 કેનાલમાં ગત રાત્રે વધુ પાણી છોડી દેવાના કારણે નવાપુરાની સીમમાં કેનાલ ઓવરફ્લો થઈ જતાં ખેડૂત પાંચાભાઇ માદેવભાઈ પટેલના 6 એકર જમીનમાં ખેતરમાં વાવેતર કરેલ જુવાર , ઘઉં , રજકો અને ઇસબગુલ વિગેરેના ખેતીપાકોમાં પાણી ભરાઈ જતાં ખેતીપાકોમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે , ખેડૂતના જણાવ્યાનુસાર તેમના ખેતરમાં આ ત્રીજી વખત કેનાલ ઓવરફ્લો થઈ છે , કેનાલ સાઈડમાં પૂરતી માટી ન હોઈ વારંવાર કેનાલ ઓવરફ્લો થઈ જાય છે.તેમ છતાં કાયમી નિરાકરણ નહિ આવતા વારંવાર ખેડૂતોને ભોગવવું પડી રહ્યું છે.ત્યારે જવાબદાર તંત્ર દ્વારા તાકીદે જરૂરિયાત મુજબ માટીકામ કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે

નર્મદા વિભાગ ના કેટલાક કર્મચારીઓ ના લીધે કેટલાક ખેડૂતો ને રોવાનો નો વારો આવ્યો છે.કેનાલો માં કોન્ટ્રાકટર અને એન્જિનિયરો દ્રારા લાઇનિંગ પૂર્વક ચોક્કસ કામ નહીં કરતા કેનાલો ઉભરાવવા નો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે.ત્યારે એક નહિ ત્રણ ત્રણ વખત કેનાલ ઓવરફ્લો થતા વારંવાર ખેડૂતો ના પાક ને નુકસાન થયું છે.તો જમીન ધોવાણ પણ ધોવાઈ જતા ખેડુતો ને રોવાનો વારો આવ્યો છે . સુઇગામ તાલુકાના નવાપુરાની સીમમાંથી પસાર થતી દુધવા માઇનોર 2 કેનાલ ઓવરફ્લો થતાં કેનાલ સાઈડની માટીનું ધોવાણ થતાં 6 એકર જમીનમાં ખેડૂતના ખેતરમાં વાવેતર કરેલ ખેતીપાકોને નુકશાન થયું છે , જોકે ઓવરફ્લો થવાનું કારણ કેનાલો ના એન્જિનિયર ની ખામી હોવાનું જોવા મળી રહ્યું છે . ત્યારે તંત્ર ના પાપે હાલાકી ખેડુતો ભોગવી રહ્યા છે