રાજ્યમાં ધીમે ધીમે કોરોનાના દૈનિક કેસો સ્થિર થઈ રહ્યા છે. 24 કલાકમાં 52,880 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી નવા 875ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે 4 દર્દીના મૃત્યુ થયા છે. આમ સતત બીજા દિવસે 900થી ઓછા કેસ નોંધાયા છે. તેમજ 1004 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. આ સાથે જ સાજા થવાનો દર 90.60 ટકા થઈ ગયો છે, એટલે કે 100 દર્દીએ 90થી વધુ દર્દી સાજા થવા લાગ્યા છે. હાલ રાજ્યમાં 12,700 એક્ટિવ કેસ(સારવાર હેઠળ હોય એવા દર્દી) છે. આમ 98 દિવસ બાદ પહેલીવાર દૈનિક કેસ ઘટીને 12,700 થયા છે. જ્યારે આ પહેલા 25 જુલાઈએ 12,795 એક્ટિવ કેસ હતા.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 61,57,811 લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી કુલ 1,74,679 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.જ્યારે 3,728ના કોરોનાને કારણે મોત થયા છે. તેમજ કુલ 1 લાખ 58 હજાર 251 દર્દી સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં 12,700 એક્ટિવ કેસ છે,જેમાંથી 58 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 12,642ની હાલત સ્થિર છે.