થરાદ :સમગ્ર વિશ્વમાં કોરાનાની મહામારી ચાલી રહી છે ત્યારે થરાદ વાવ પંથકમાં કોરાનાના કેસો વધતા લોકોમાં ચિતાનો માહોલ જોવા મળ્યો છે ત્યારે થરાદ બસસ્ટેશન ખાતે આર.એસ.એસ ના કાર્યકરો કાશીરામભાઈ પુરોહિત ભરતભાઈ પુરોહિત, ડેપો મેનેજર ભરતભાઇ ચૌધરી હાજાભાઈ રાજપૂત મનુભાઈ ત્રિવેદી,ડો હિરાભાઇ ભાઈ પટેલ,ડો જગદીશભાઇ પટેલ,ડો અભ્ય વ્યાસ, ડો જે.કે , મયંકભાઇ દ્વારા બસસ્ટેશન માં આવતા મુસાફરો માટે આર્યુવેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટા પ્રમાણમા મુસાફરે તથા સ્થાનિક યુવકો એ આયુર્વેદિક ઉકાળો સેવન કર્યું હતું ….