ઢીમા ની આંગણવાડી કેન્દ્ર નું મકાન જર્જરિત ,બાળકોના જીવન સામે જોખમ મંડાયું

વાવ તાલુકાના ઢીમા ગામની આંગણવાડી કેન્દ્ર 6નો પતરા વાળુ મકાન જર્જરીત હાલતમાં હોવાથી બાળકોના જીવન સામે જોખમ મંડરાઇ રહ્યું છે જોકે ઢીમા ગામના સરપંચ મોનાભાઈ રાજપૂત દ્વારા આંગણવાડી કેન્દ્રની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી તે દરમિયાન આંગણવાડી કેન્દ્રના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું  કે કેટલા સમયથી આ મકાન જર્જરિત હાલતમાં છે અને ઉપરના ભાગેથી પતરા ફૂટી ગયા છે મકાનની ચારે બાજુ તિરાડો પડી ગઇ છે કયારે મોટી હોનારત સર્જાય તે કોઈ નક્કી નથી જેથી આ બાબતે મેં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ છે અને મકાનને કન્ડમ મા લીધેલ છે અને હાલ અમને ભાડેનું મકાન રાખવા માટે આદેશ આપવામાં આવ્યો છે જોકે ઢીમા ગામની બે થી ત્રણ આંગણવાડી કેન્દ્રોના મકાન જર્જરિત છે જેમાં અત્યારે નાના ભૂલકાઓ ભણી રહ્યા છે તેમના જીવન સામે મોટો ખતરો મંડાઈ રહ્યો છે  છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આવી આંગણવાડી કેન્દ્રોની નોંધ લઈને નવેસર મકાન બાંધવા માટેની મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *