એસટી વિભાગ દ્વારા પોલીસ મથકમાં રજૂઆત કરાતા આજે પોલીસે બસ સ્ટેશનમાં અવર-જવર કરતા વાહનો સામે લાલ આંખ કરીછે વહેલી સવારથી ધાનેરા ટ્રાફિક પોલીસ દ્વારા બસ સ્ટેશનમાં અવરજવર કરતા ઇક્કો સહિતના અન્ય સાધનો સામે કાર્યવાહી હાથ ધરીછે 15 કરતાં વધુ વાહનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં આ તમામ વાહનો સામે દંડનીય કાર્યવાહી પણ કરી હતી. તો બીજી તરફ રિક્ષાચાલકોએ પણ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે લોકો બસ સ્ટેન્ડમાં ઉતારવા તેમજ બસ માંથી ઉતરતા લોકોને લેવાં મુકવા માટેની અવરજવર કરીએ છીએ અને અમે લોકો આજે બસ સ્ટેશનમાં આવ્યા તો પોલીસે અમારી રીક્ષા તેમજ ગાડીઓ જપ્ત કરેલ છે સમગ્ર બાબતને લઈને બસ સ્ટેશન માસ્ટરે જણાવ્યું હતું કે બસ સ્ટેશનમાં વધુ પડતી અવરજવર તેમજ અડચણરૂપ થતા અન્ય વાહનો સામે કાર્યવાહી કરવા માટે ઉપરથી આદેશ આપેલો હતો જે બાબતને લઈને આજે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે