કોંગ્રેસના નેતાઓ ભાજપની સ્ક્રિપ્ટના આધારે નિવેદનો આપે છે – આપ નેતા નેતાનું નિવેદન

રામ મંદિરને રાજકારણ ગરમાઈ રહ્યું છે. કોંગ્રેસ ભાજપ બાદ હવે આમ આદમી પાર્ટી પણ રામ મંદિર મામલે મેદાને ઉતરી છે. આ મામલે આપ પ્રવક્ત યોગેશ જાદવાણીનો કોંગ્રેસ પર આરોપ મુકવામાં આવ્યો છે. તેમને કહ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ ભાજપની સ્ક્રિપ્ટના આધારે નિવેદનો આપે છે તેવું નિવેદન જાદવાણીએ આપ્યું હતું.ભગવાન શ્રી રામના મુદ્દે ચર્ચા કરી, અને ગુજરાતના મુખ્ય મુદ્દાઓ શિક્ષણ, આરોગ્ય, રોજગારી, પેપર ફૂટવાની ઘટનાથી ભાજપ તેનું ધ્યાન હટાવવા માટે કોંગ્રેસનો સહારો લે છે અને કોંગ્રેસ તેને ધ્યાન હટાવવામાં મદદ કરે છે. કોંગ્રેસ જે સવાલો પૂછે છે તે સવાલો ભાજપ દ્વારા મોકલવામાં આવે છે અને ભાજપ અને કોંગ્રેસ અત્યારે દેશ અને રાજ્યમાં ચાલી રહેલા વિવિધ મુદ્દાઓથી ધ્યાન ભટકાવવામાં મદદરુપ થઈ રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી પણ આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182 સીટો પર પહેલીવાર ઝંપલાવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી માટે કોંગ્રેસ અને ત્યાર બાદ સૌથી મોટો પડકાપ ભાજપ છે જે 27 વર્ષથી ગુજરાતમાં શાસનમાં છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા કોંગ્રેસ અને ભાજપ પર સતત શાબ્દિક પ્રહારો કરવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *