ધાનેરા તાલુકાના થાવર ગામે હેલીપેડ ખાતે દલિત નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી ની અધ્યક્ષતા માં સર્વ સમાજ જન સંવેદના સભા યોજાઈ હતી ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી નું ધાનેરા તાલુકાના સામરવાડા ગામે ધાનેરા ના ધારાસભ્ય નથાભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય જોઇતાભાઈ પટેલ અને કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તે બાદ ત્યાંથી વિશાળ બાઈક રેલી યોજાઈ હતી. ધાનેરા ખાતે આવેલ બાબાસાહેબની પ્રતિમાને વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ધાનેરા ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય બાબાસાહેબના પ્રતિમાને ફુલહાર કરવા માં આવ્યા હતા અને ત્યારબાદ સભા સ્થળે પહોંચ્યા હતા સભા સંબોધી હતી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને લોકોને પણ જાગવા માટે જાગૃત કર્યા હતા અને ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ જ બહુમતીથી કોંગ્રેસને વિજયી બનાવવા માટે અપીલ પણ કરી હતી આ કાર્યક્રમમાં દલિત નેતા જીગ્નેશ મેવાની સહીત કોંગ્રેસી ધારાસભ્ય કોંગ્રેસી અગ્રણીઓ અને મોટી સંખ્યા માં લોકો સપ્તહગીત રહ્યા હતા