ડીસા ના વિઠોદર ગામ ખાતે બોર રીચાર્જ નો કાર્યક્રમ યોજાયો

ગત વર્ષે ડીસા શહેર સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પડેલા નહિવત વરસાદના કારણે આ વર્ષે તેની સીધી અસર ખેડૂતો અને લોકોના જનજીવન પર જોવા મળી રહી છે ખાસ કરીને નહિવત વરસાદના કારણે દિવસેને દિવસે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે જેના કારણે ડીસા તાલુકામાં ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે ત્યારે આ સમસ્યાને પહોંચી વળવા માટે ડીસા તાલુકાના ખેડૂતોએ અનોખી પહેલ શરૂ કરી છે જેમાં ડીસા તાલુકામાં હાલ અનેક ખેતરોમાં ખેડૂતોએ ખેત તલાવડી ઊભી કરી છે જેના થકી વરસાદી પાણી એકત્રિત કરી અને એક વર્ષ સુધી ખેતી કરી શકાય તો બીજી તરફ હવે ખેડૂતો બોર અને કુવા રિચાર્જ કરવા તરફ વળ્યા છે જે અંતર્ગત આજે ડીસા તાલુકાના વિઠોદર ગામે બનાસકાંઠા જિલ્લાની નિયામકની ટિમ ડીસા તાલુકા વિકાસ અધિકારી તેમજ મનરેગા ની ટીમ આજે રહી બોર અને કુવા રિચાર્જ કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો આજે યોજાયેલા આ કાર્યક્રમમાં વિઠોદર ગામના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સરકાર દ્વારા જે પ્રમાણે હાલમાં પાણી બચાવવા માટેની પહેલ શરૂ કરવામાં આવી છે તેમાં ડીસા તાલુકાના ખેડૂતો પણ જોડાયા છે ત્યારે આજે યોજાયેલા આ કાર્યક્રમમાં ખેડૂતોએ કઈ રીતે વરસાદી પાણીથી બોર અને કુવારિચાર્જ કરવા તે અંગે પણ જિલ્લા નિયામક દ્વારા માહિતી આપવામાં આવી હતી આજે યોજાયેલા આ કાર્યક્રમમાં ડીસા તાલુકાના વિઠોદર ગામમાં 111 કુવા અને બોર આવનારા સમયમાં વરસાદી પાણીથી રિચાર્જ કરવામાં આવશે જેના કારણે ખેડૂતોને જે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે તે મહદ અંશે ઊંચા આવી શકશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *