પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી થરાદ પ્રાંત ડિરેકટરના અધ્યક્ષ સ્થાને નાયબ કલેકટરની ઉપસ્થિતમાં વાવ અને થરાદ મામલતદાર કચેરી ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં વાવ થરાદ ના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પીઆઇ, મહિલા હેલ્પ કાઉન્સલર,લાયન્સ કલબ, સરકારી હોસ્પિટલ સ્ટાફ સહિત સામાજિક સેવા સંસ્થાઓના હોદેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.. પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા વર્ષ 2010 થી સતત ઉનાળાની કાળઝાળ ગરમીની ઋતુમાં પક્ષીઓને બચાવવા સહિત અબોલ પશુઓની સેવામાં કાર્યરત તરીકે કામ કરી રહી છે.મકરસંક્રાંતિ ઉત્તરાયણ પર્વ તહેવારમાં પતંગના દોરાથી ઘાયલ થતા પક્ષીઓ માટે સારવાર કેમ્પ બનાવવામાં આવે છે..બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા સમગ્ર જિલ્લામાં પશુ પક્ષીઓ માટે કાર્યક્રમ યોજી અત્યાચાર માંથી બચાવવાના પ્રયત્નો કરવામાં આવે છે અને આ કાળ જાળ ગરમીમાં પક્ષીઓને પાણી પીવા માટે કુંડા તેમજ ચકલીઘર વિતરણ કાર્યક્રમ રાખી લોકોને સંદેશ આપવામાં આવ્યો કે તમે ઉનાળાની આં કાળ જાળ ગરમીમાં પક્ષીઓને તમારા ઘરની અગાસી પર કે વૃક્ષ પર પાણીના કુંડા ભરીને મૂકો જેનાથી પક્ષી પોતાની તરસ છિપાવી શકે.